ગેનીબેન ઠાકોરનો મોદી પર પલટવાર : બનાસડેરી મામલે રોકડું પરખાવ્યું ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_095057_60341fb7-0450-4104-86b2-59209d68e901_1661412505150.webp)
- 04 May, 2024
લોકસભાની ચૂંટણીના મતદાનના બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે ,ત્રીજા તબ્બકા માટેનું કાઉન્ટડાઉન શરુ થયું છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ ગુજરાતમાં પ્રચાર માટે રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓને મોકલી રહ્યા છે. એવામાં કોંગ્રસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. તેઓ બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અભિયાનમાં જોડાયા , આ દરમિયાન તેમણે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું, ત્યારબાદ ગેનીબેને પણ સભાને સંબોધિત કરી હતી .
ગેનીબેને તેમના સંબોધનમાં પીએમ મોદીના ચુંટણી પ્રચાર દરમિયાન કરેલા ભાષણનો ઉલ્લેખ કરી તેમને પલટવાર કર્યો હતો . મોદીએ તેમના ભાષણમાં વારસાઈ ટેક્સ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ગેની બેને આ મુદ્દા પર તેમણે આકરા પ્રહાર કરી તેમના પર પલટવાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત 1 મે ના રોજ પીએમ મોદી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વારસાઈ ટેક્સ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે,કોંગ્રેસ જીતી તો તમારી 2 ભેંસમાંથી એક ભેંસ સરકાર લઈ જશે. અને ગેનીબેને આજ વાત પકડી લઈને મોદી ને રોકડું પરખાવ્યું હતું.
ગેનીબેન ઠાકરે કહ્યું કે, પીએમ મોદીએ બનાસકાંઠામાં આવીને કહ્યું હતું કે, કોંગ્રેસ આવશે તો તમારી પાસે બે ભેંસો હશે તો એમાંથી એક ભેંસ લઈને બીજાને આપી દેશે. ત્યારે હું બનાસકાંઠાની જનતાને કહું છું કે, આપણી ભેંસો આપણી પાસે જ રહેશે. અમારી ભેંસના દૂધ બનાસ ડેરીમાં ભરાવાના જ છે, આ એ જ બનાસ ડેરી છે જે તમે પાટણને આપી દીધી ,એ હવે અમને પાછી આપી દો .
મહત્વનું બાબત એ છે કે, હાલમાં બનાસકાંઠામાં બનાસ ડેરી મામલે રાજકારણ ગરમાયું છે. બનાસ ડેરીના અત્યારે ચેરમેન શંકર ચૌધરી છે અને તેઓ ભાજપના સભ્ય છે.જ્યારે અત્યારે તેમની હેઠળ સમગ્ર સંસ્થા છે. ત્યારે બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામા આવી રહ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ